આદિ દેવ મહાદેવ સ્વયંભુ પશુપતિ નાથ ભગવાન આશુતોષ શંકર ભોલે ભંડારીને સહસ્ત્રો નામથી સ્તુતિ કરીને પોકારવામાં આવે છે. શાસ્ત્રોમાં ભાગવાન શિવ ના મહાત્મ્યનું વર્ણન જોવા મળે છે. ઋગ્વેદમાં પણ શિવજીના ગુણગાન ગાવામાં આવે છે. અમરનાથ એક એવું શિવધામ છે જેની માન્યતા છે કે, ભગવાન શિવ સાક્ષાત અમરનાથ ગુફામાં બિરાજમાન છે. અમરનાથની ગુફા 5 હજાર વર્ષ પહેલાની છે.
ભારતમાં ખૂણા-ખૂણા અને વિદેશોઅમથી અસંખ્ય શિવ ભક્ત 14 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા અમરણાર્થના દર્શન કરવા આવે છે. અમરનાથ ગુફામાં આવેલી પાર્વતિપીઠ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે.

કાશ્મીર ઘાટીમાં આવેલઈ અમરનાથની ગુફા પ્રાકૃતિક છે.આ પાવન ગુફા લગભગ 160 ફૂટ લાંબી, 100 ફૂટ પહોળી છે. કાશ્મીરમાં આમતો 45 શિવધામ, 60 વિષ્ણુ ધામ, 3 બ્રહ્મા ધામ, 22 શક્તિ ધામ, 700 નાગ ધામ અને અસંખ્ય તીર્થ છે. પરંતુ અમરનાથ ધામનું આગવું મહત્વ છે.
કાશીમાં લિંગ દર્શન અને પૂજનથી 10 ગણું, પ્રયાગથી 100 ગણું, નૈશયારણ્ય તથા કુરુક્ષેત્રથી હજાર ગણું ફળ અમરનાથ સ્વામીના પૂજનથી મળે છે.
અમરનાથ ગુફામાં શિવ ભક્ત પાકૃતિક હિમ શિવલિંગની સાથે સાથે બરફથી બનેલું પ્રાકૃતિક શેષનાગ, શ્રી ગણેશ પીઠ અને માતા પાર્વતી પીઠના પણ દર્શન કરી શકો છો. પ્રતિ વર્ષ પ્રાકૃતિક રૂપથી બનેલા આ અહીં શિવલિંગમાં એટલી ચમક હોય છે કે જોનારની આંખ ચાર થઇ જાય છે.

અમરનાથનું શિવલિંગ પાકા બરફનું હોય છે. જયારે આજુબાજુ કાચો બરફ જોવા મળે છે. માન્યતા એ પણ છે કે, ગુફા ઉપર પર્વત ઉપર શ્રી રામ કુંડ છે. ભગવાન શિવ અને માતા પાર્વતિને સુષ્ટિની રચના આ અમરનાથ ગુફામાં સંભળાવી હતી.
આ ગુફાની ખોજ બુટા મલિક નામના એકે નેક અને મુસલમાન ગડરિયાએ કરી હી. તે એક દિવસ પશુને ચરાવવા માટે દૂર નીકળી ગયો હતો. ત્યાં એકે જંગલમાં પહોંચતા તેને એક સાધુ સાથે ભેટો થયો હતો. સાધુએ તેને કોલસાથી ભરેલી એક થેલી આપી. ઘરે પહોંચતા આ થેલી ખોલીને જોય તો કોલસાની જગ્યાએ સોનુ થઈ ગયું હતું.સોનુ જોઈતા તે બહુ જ હેરાન થયો હતો. તે વ્યક્તિ તે સાધુને ધન્યવાદ આપવા ફરી તે જગ્યા પર ગયો પરંતુ ત્યાં સાધુની જગ્યા પર એક વિશાલ ગુફા જોવા મળી હતી. તે દિવસથી આ સ્થાન એક તીર્થ બની ગયું હતું.

ચાલો જાણીએ અમરનાથ ગુફાથી જોડાયેલા 5 રહસ્ય
માન્યતા છે કે, ભગવાન શિવે અમરનાથ ગુફામાં માં પાર્વતીને અમરતાનો મઁત્ર સંભાળવ્યો હતો. આ કારણથી હિન્દૂ ધર્મમાં અમરનાથ ગુફાનું અધિક મહત્વ છે.
હિન્દૂ માન્યતા અનુસાર, કોઈને પણ અમરકથા સાંભળવાની પરવાનગી ના હતી.તેથી ભગવાને શિવે માં પાર્વતીને કથા સંભાળવતી વખતે બધાને ત્યાગી દીધા હતા. જેથી કોઈ અમરકથા સાંભળી ના જાય.

અમરનાથ ગુફાથી લગભગ 96 કિલોમીટર પહેલગાંવ એક એવી જગ્યા છે.જ્યાં ભગવાન શિવે રોકાઈને આરામ કર્યો હતો. તેને તેના નંદીને પણ અહીં છોડી દીધો હતો. નંદી વગર શિવલિંગ અધૂરું માનવામાં આવે છે. ત્યારબાદ શેષનાગ પહોંચતા ભગવાને ગળામાંથી સાપને પણ ઉતારી દીધા હતા. ગણેશજીને પણ તેને મહાગુણસ પર્વત પર મૂકી દીધા હતા. ત્યારબાદ પંચતરણી જગ્યા પર પહોંચીને ભગવાન શિવે પાંચ તત્વોને પણ ત્યાગી દીધા હતા.

માનવામાં આવી રહ્યું છે કે, ભગવાન શિવ જયારે પાર્વતીજઈને અમરતાનો મંત્ર સંભળાવી રહ્યા હતા ત્યારે આ ગુફામાં બન્ને સિવાય કબૂતરનું જોડું પણ હતું. કથા સાંભળ્યા બાદ આ કબૂતરનું જોડું અમર થઇ ગયું હતું. તેથી અમરનાથ ગુફામાં કબૂતરનું જોડું જોવામળે છે. અમરનાથ ગુફામાં શિવલિંગની બાજુમાંથી પાણી વહે છે. પરંતુ હજુ સુઘી એ ખબર નથી પડી કે,આ પાણી ક્યાંથી આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks