આકાંક્ષા દુબેની મોત મામલે સૌથી મોટો ખુલાસો….! પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સામે આવ્યુ મોતનું કારણ

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. અભિનેત્રીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. એડિશનલ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનુસાર, આકાંક્ષાનું મોત ફાંસી લગાવવાને કારણે થયું છે. આકાંક્ષાએ વારાણસીમાં એક હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સમાચાર મળ્યા બાદ પોલિસ પહોંતી હતી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

ત્યારે હવે અભિનેત્રીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં હત્યાની કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે અભિનેત્રીનું મોત લટકવાને કારણે થયું છે. તેના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. જો કે પોલીસે સમરસિંહનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આકાંક્ષા દુબે અને ભોજપુરી ગાયક સમર સિંહ લિવ-ઈન રિલેશનશિપમાં હતા.

પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી કે કોઈ કારણસર બંનેનું બ્રેકઅપ થયું હશે અને તેના કારણે આકાંક્ષા ડિપ્રેશનમાં આવી ગઈ હશે અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હશે. સમર સિંહ અને સંજય સિંહની ધરપકડ કરવા પોલીસની અનેક ટીમો નીકળી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની રાત્રે આકાંક્ષા સમર સિંહ સાથે પાર્ટીમાં ભાગ લેવા ગઈ હતી. પરંતુ પાર્ટીમાંથી ફરત ફર્યા પછી સવારે તે હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, એક વ્યક્તિ આકાંક્ષાને હોટેલમાં લગભગ રાત્રે 2:00 વાગ્યે મૂકવા આવ્યો હતો, જે તેની સાથે 17 મિનિટ સુધી રોકાયો હતો. તે વ્યક્તિ કોણ હતો અને શા માટે આવ્યો હતો તેના વિશે કોઈ માહિતી મળી નથી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વ્યક્તિની કોઈ ભૂમિકા નથી. તે આકાંક્ષાને છોડવા જ આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હાલમાં માત્ર 2 આરોપી સંજય સિંહ અને સમર સિંહ સામે આવ્યા છે, જેમની ટીમ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

આકાંક્ષા દુબેનું રવિવારે સવારે સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટેલ સોમેન્દ્ર રેસિડેન્સીના રૂમ નંબર 105માં મોત થયું હતું. આકાંક્ષાનો મૃતદેહ તેના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈથી પરત ફરેલી આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ દીકરીએ આત્મહત્યા કરી હોવાનો ઇનકાર કર્યો હતો અને હત્યાનો આરોપ ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ હતુ કે સમરના ભાઇ સંજયે આકાંક્ષાને ધમકી પણ આપી હતી.

Shah Jina