વિમલની એડ ઉપર ટ્રોલ થયા બાદ અજય દેવગને પણ કરી સ્પષ્ટતા, “જો આ વસ્તુઓ એટલી જ ખરાબ હોય તો તેને…” જુઓ શું કહ્યું

અજય દેવગને ટ્રોલ કરનારા લોકોને તમાચો માર્યા જેવો જવાબ આપ્યો , કહ્યું કે હું તો ફક્ત ઈલાયચી….

અજય દેવગન ઘણા સમયથી વિમલ ઇલાયચીના ઉત્પાદનોની જાહેરાત કરી રહ્યો છે. થોડા સમય પહેલા શાહરૂખ ખાને પણ વિમલ ઈલાયચીની જાહેરાત માટે અજય દેવગન સાથે હાથ મિલાવ્યા હતા. હાલમાં જ અક્ષય કુમારના આમાં જોડાવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારબાદ આ ત્રણેય કલાકારો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થવા લાગ્યા છે.

જો કે હવે અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોની માફી માંગી છે અને કહ્યું કે તે વિમલ ઈલાયચીની જાહેરાત કરવાનો નિર્ણય પાછો ખેંચે છે. પરંતુ આ દરમિયાન અજય દેવગને એક એવી વાત કહી છે જે તેના ફેન્સને નિરાશ કરી શકે છે. તમને જણાવી દઈએ કે અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે વિમલ ઈલાયચીની જાહેરાતમાં દેખાવાના સમાચારને કારણે અક્ષય કુમાર ઘણો ટ્રોલ થયો હતો. એટલા માટે કે અભિનેતાએ હિન્દી સિનેમાના ક્ષેત્રમાં દેશભક્તિનો ઝંડો ઊંચક્યો છે.

એક તરફ તે ફિલ્મોમાં પોતાને એક આદર્શ નાગરિક તરીકે રજૂ કરે છે, તો બીજી તરફ પાન મસાલાની જાહેરાતમાં જોઈને તેના ચાહકો ચોંકી ગયા હતા. અક્ષય કુમારની માફી પછી સોશિયલ મીડિયા પરનો હંગામો ધીરે ધીરે સમાપ્ત થયો, પરંતુ જ્યારે અજય દેવગનને પણ અક્ષયની જેમ સમર્થન આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે “જો આ વસ્તુઓ એટલી જ ખરાબ હોય તો તેને વેચવી જોઈએ નહીં.” ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, અજય દેવગન હાલ તેની આગામી ફિલ્મ રનવે 34નું પ્રમોશન કરી રહ્યો છે.

ત્યારે હવે આ જાહેરાતને લઈને મીડિયા સાથે વાતચીતમાં તેને કહ્યું કે “તે વ્યક્તિગત પસંદગી છે. જ્યારે તમે કંઈક કરો છો, ત્યારે તમે એ પણ જુઓ છો કે તે કેટલું નુકસાનકારક હશે. કેટલુ હાનિકારક છે, કેટલું નથી. હું તેનું નામ લીધા વિના કહીશ કારણ કે હું તેનો પ્રચાર કરવા માંગતો નથી. હું ઈલાયચીનો પ્રચાર કરતો હતો. મને જે લાગે છે તે જાહેરાતો કરતાં વધુ છે. જો કેટલીક વસ્તુઓ એટલી ખોટી હોય, તો તેને વેચવી જોઈએ નહીં.

ઇલાયચી માટેની જાહેરાતને સરોગેટ જાહેરાત કહી શકાય. વિમલ એક પાન મસાલા કંપની છે અને આ કંપનીના હાનિકારક ગુટખા લાખો ભારતીયો સુધી પહોંચે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુટખાના કારણે દર વર્ષે લગભગ એક લાખ કેન્સરના કેસ નોંધાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ પ્રખ્યાત વ્યક્તિ આવી કંપનીઓ સાથે જોડાય છે, તો કંપનીને તેમાંથી ઘણો ફાયદો થાય છે. તેમના મનપસંદ સ્ટાર્સથી પ્રેરિત થઈને લોકો તે કંપનીના ઉત્પાદનો ખરીદે છે, જે તેમના માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

Niraj Patel