અમદાવાદમાં પરિણીતાએ અચાનક જ સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી, કારણ જાણીને પરિવાર ખળભળી ઉઠ્યો

અમદાવાદમાં પરિણીતાએ આ સામાન્ય બાબતે જીવન ટૂંકાવ્યું, હજુ તો હમણાં પતિ-દીકરા સાથે અમદાવાદ રહેવા આવી અને…

દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો અલગ અલગ કારણોના લીધે આપઘાત કરી લેતા હોય છે, હાલ અમદાવાદમાંથી આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરણીતાએ 7માં માળેથી કૂદીને મોતને વહાલું કરી લીધું છે. અને આપઘાત પાછળનું કારણ પણ ખુબ જ ચોંકાવનારું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ભુદરપુરામાં રહેતા ચંદુભાઈ પરમાર એક ગેરેજમાં કામ કરે છે. તેમની પુત્રી આરતીના લગ્ન પાંચેક વર્ષ પહેલા અરવલ્લી ખાતે રહેતા વિષ્ણુભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ તેની સાસરીમાં દિનેશ બારીયા નામનો એક વ્યક્તિ તેની પતિની ગેર હાજરીમાં તેના ઘરમાં ઘુસી જઈને તેને હેરાન કરતો હતો.

જેના બાદ કંટાળીને આરતી તેના પતિ અને બાળક સાથે અમદાવાદ રહેવા આવી ગઈ હતી. બંને દીકરા સાથે સિંધુભવન રોડ ખાતે રહેતા હતા. આ અંગેની જાણ દિનેશને થતા તે પણ અમદાવાદ આવી ગયો હતો અને વાડજમાં ભાડે મકાન રાખી રહેવા લાગ્યો હતો.

આરતીનો પતિ અમદાવાદમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, આ દરમિયાન દિનેશ પરણિતાના ઘરે આવતો અને તેને પોતાની સાથે બહાર લઇ જવા માટે દબાણ કરતો હતો, પરણિતા ના પાડતી, તો તેના પિતા અને ભાઈની હત્યા કરવાની ધમકી પણ આપતો હતો. જેના કારણે આરતી તેની સાથે જવા માટે મજબુર થતી હતી.

આ વાતની જાણ આરતીના પતિને પણ થઇ ગઈ હતી જેના બાદ આરતીના પતિએ તેના સસરા એટલે કે આરતીના પિતાને ફોન કર્યો હતો, જેના બાદ આરતીના પિતાએ દિનેશને ફોન કરી આરતીને પાછી મૂકી જવા માટે જણાવ્યું હતું, પરંતુ દિનેશની જગ્યાએ તેનો મોટોભાઈ આરતીને મુકવા માટે આવ્યો હતો.

આ ઘટના બીજા જ દિવસે આરતીએ પોતાના ઘરના 7 માં માળેથી ઝંલાવ્યું હતું, અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ આરતીના પિતાએ એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી. ભારતીબેને પિયરમાં સાતમા માળની ગેલેરીમાંથી નીચે ઝંપલાવી આપઘાત કર્યો  તે પહેલા આગલી રાતે તેને દિનેશ બહાર લઈ ગયો હતો.

જયારે ભારતીના પિતાએ આ બાબતે ભારતીને  પૂછ્યું ત્યારે તેણે કહ્યુ હતુ કે દિનેશ તેને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. જેથી ભારતીએ પોતે પરિણિત હોવાનુ અને એક દિકરો હોવાનુ કહી લગ્ન માટે ના પાડી દીધી હતી, જેના બાદ દિનેશે તેને ધમકીઓ પણ આપી હતી.

આરતીના પિતાએ એલિસબ્રિજ પોલીસમથકમાં આપેલી ફરિયાદની અંદર જણાવ્યું હતું કે આ મામલે  દિનેશ તેમની દીકરીને બળજબરીથી સબંધ રાખવા ધમકી આપતા માનસિક ત્રાસને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી તેમ જણાવ્યું હતું. આ બાબતની એલિસબ્રિજ પોલીસને ફરિયાદ આપતા પોલીસે દિનેશ બારિયાની વિરુદ્ધમાં દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો.

Niraj Patel