અમદાવાદ ગોતામાં 3 વર્ષની બાળકી અને પત્ની સાથે પોલીસકર્મીએ 12મા માળેથી લગાવી મોતની છલાંગ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક સંકળામણ, માનસિક કે શારીરિક હેરાનગતિ કે પછી ઘરકંકાસ મુખ્ય કારણ હોય છે. ઘણીવાર એવું પણ બનતુ હોય છે કોઇ વાતથી કંટાળી અથવા તો દેવામાં ડૂબી જવાને કારણે પણ કેટલાક આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ અમદાવાદના ગોતામાંથી એક પોલિસકર્મીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે સામૂહિક આપઘાત કર્યો છે.

પરિવાર સાથે 12મા માળેથી કૂદી મોતની છલાંગ લગાવી હતી. શહેરમાં દિવસેને દિવસે આપઘાતના કિસ્સા વધી રહ્યા છે અને એવામાં ગોતામાં દિવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને ત્રણ વર્ષની નાની બાળકી સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસકર્મીએ આપઘાત કયા કારણોસર કર્યો તે હાલ સામે આવ્યુ નથી. જો કે, આ ઘટનાની જાણ પોલિસને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પીએમ ચાલી રહ્યું છે.

ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, તેમજ પત્ની રિદ્ધી અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગ્યા આસપાસ 12માં માળેથી ઝંપલાવ્યુ હતુ. કુલદિપસિંહના બહેન તેમની નજીકમાં જ રહે છે. હાલ તો પોલિસ દ્વારા આપઘાત પાછળનાં કારણો જાણવા તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, પોલિસકર્મી કુલદીપસિંહ દ્વારા આ પ્રકારનું પગલું કેમ ભરાયુ તે તપાસ પોલીસે શરૂ કરી છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે. જણાવી દઇએ કે, કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમના પત્ની સિહોરની બાજુમાં આવેલા વડીયાના રહેવાસી હતા. કેટલાક લોકોનુ કહેવુ છે કે, કુલદીપસિંહ સ્વભાવે શાંત અને સરળ હતા. કુલદીપસિંહની પડોશમાં જ તેમના બહેન રહે છે, કુલદિપસિંહના જમાઈ સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

પોલિસ કુલદીપસિંહે પરિવાર સાથે કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરી રહી હતી, ત્યારે તેમણે પરિવારજનો અને પોલીસ મિત્રોને કરેલ મેસેજ સામે આવ્યો છે, જે વાંચી તમારી પણ આંખો ભીની થઇ જશે. પોલિસકર્મીએ મેસેજમાં ગ્રેડ પેની અને આઈપીએસ અધિકારીઓના પૈસા ખાવાના લીધે પગાર ન વધતા હોવાની પણ વાત કરી છે.

પોલિસકર્મીની આત્મહત્યા બાદ ઘણા કારણો સામે આવ્યા, જેમાં એકમાં એવું હતુ કે કુલદીપસિંહના બહેન અને બનેવીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. પરંતુ તે તકરારની બાબત સામે આવી નથી. પરિવારનું કહેવુ છે કે, પોલીસકર્મીના સસરા દ્વારા થોડા સમય અગાઉ પોલીસની નોકરી છોડી તેના વતન ખાતે સ્થાયી થવા જણાવવામાં આવ્યું હતું.ત્યારે હવે પોલિસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું પોલિસકર્મીને સાસરિયાઓ તરફથી કોઇ દબાણ આપવામાં આવતુ હતુ કે કેમ.

જો કે, આ બધા વચ્ચે કુલદીપસિંહે આપઘાત પહેલા જે મેસેજ કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં વસ્ત્રાપુર પીઆઇ ખાંભલાથી માંડી સાથી કર્મીઓ સાથે થયેલી હસી મજાક પણ મેસેજમાં લખી હતી.આ ઉપરાંત તેમણે બીજા મેસેજમાં સિંહોરના મિત્રો અને પરિવારજનોને યાદ કર્યા અને સાથે જ માતા-પિતાને નિવૃત્ત જીવન ગાળવા તથા બહેન બનેવીને સંબોધન પણ કર્યું હતું. તેમણે પત્ની અને દીકરીને લઇને લખ્યુ કે, દીકરી સાથે ખૂબ રમ્યો હોવાથી તેને સાથે લઈ જવું છું

અને રિદ્ધિને કેવી રીતે એકલી મુકું એટલે તે પણ સાથે આવે છે તેવો મેસેજ પોસ્ટ કર્યો છે. જે પોસ્ટ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.તો બીજા મેસેજમાં સિંહોરના મિત્રો અને પરિવાર જનોને યાદ કર્યા. સાથે જ માતા પિતાને નિવૃત્ત જીવન ગાળવા તથા બહેન બનેવીને સંબોધન પણ કર્યું હતું. આત્મહત્યા પહેલા પોતાની દીકરી સાથે કુલદીપસિંહ ખૂબ રમ્યા હોવાથી તેને સાથે લઈ જવું છું અને રિદ્ધિને કેવી રીતે એકલી મુકું એટલે તે પણ સાથે આવે છે. તેમણે છેલ્લે મેસેજમાં લખ્યુ હતુ કે, મારા જીવન માં આવેલ તમામનો દિલથી આભાર અને સોરી.

ખુદા સે મેને દુઆ માગી દુઆ મે આપની મોત માગી. ખુદા ને કહા મોત મે તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લાંબી ઉંમર કી દુઆ માગી” મારી દુઆ માગવા વાળી મારી સાથે લઇ જવ છું બીજા કોઈએ દુઆ નઇ માગી હોય મે રિકવેસ્ટ તો ઘણી કરી પણ ચાલશે ખુશ છું આજે બઉ કે આ દિવસ આજે આવી ગયો. તેમણે તેમના મેસેજમાં એ પણ લખ્યુ હતુ કે, પોલિસનો ગ્રેડ પે વધે એ અંતિમ ઇચ્છા, IPS બઉ પૈસા ખાય છે અને એ જ પગાર વધારવા નથી દેતા.

Shah Jina