અમદાવાદમાં પત્ની આશિક સાથે ફરાર થઇ તો પતિએ કંટાળી મોતને વ્હાલુ કર્યુ, ફરિયાદ કરી તો પોલિસે આપ્યો એવો જવાબ કે…ગુસ્સો આવી જશે

મનીષસિંહ રાજપૂત મારી પત્નીને ઉર્મિલા ભગાડીને લઇ ગયો છે, પોલીસે સાથ ન આપ્યો, 5 લાખ રૂપિયા ખાધા છે, બિચારા પતિએ આત્મહત્યા કરતા પહેલા કર્યા મોટા ખુલાસા, જાણો અંદરની વિગત

હાલમાં જ અમદાવાદમાંથી આપઘાતનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો, જેમાં વટવામાં એક પતિએ તેની પત્ની પ્રેમી સાથે નાસી જતાં મેરેજ એનિવર્સરીના દિવસે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે આપઘાત પહેલા બાઇક વેચી બાળકોની સ્કૂલ અને ટ્યૂશનની ફી ભરી અને પછી પાંચ વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી. જણાવી દઇએ કે, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવાને પત્ની પ્રેમી સાથે નાસી જતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેણે આખરે કંટાળી ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. (તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

યુવકે આપઘાત પહેલાં અલગ અલગ પાંચ વીડિયો બનાવ્યા હતા. વટવાની વલ્લભપાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષિય મુકેશ પ્રિયદર્શીનાં લગ્ન ઉર્મિલાબેન સાથે થયાં હતાં અને લગ્નજીવન 18 વર્ષ દરમિયાન તેમને સંતાનમાં બે દીકરા પણ છે. ગુરુવારે સાંજે પાંચેક વાગ્યે મુકેશભાઈના ભાઈ પર તેમના કૌટુંબિક કાકાએ ફોન કરીને જાણ કરી કે, મુકેશે ગળેફાંસો ખાઇ લીધો છે. ત્યારે આ બનાવ અંગે મુકેશભાઈના સાળાએ જણાવ્યું કે, બપોરના સાડા ચાર વાગે તેઓ બહેરામપુરામાં તેમના ઘરે હાજર હતા ત્યારે મુકેશભાઈનો વીડિયો તેમના ફોનમાં આવ્યો.

તેમણે એ વીડિયો જોયો અને તેમાં મુકેશભાઈ મરી જવાની વાતો કરતા હતા.જેને લઇને તેમણે મુકેશભાઈને ત્રણ ચાર વખત ફોન પણ કર્યો પણ મુકેશભાઇે ફોન ઉપાડયો નહિ. તે બાદ તે બાઈક લઈ મુકેશભાઈના ઘરે આવ્યા અને જોયું તો ઘરના હોલમાં મુકેશભાઈ પંખા સાથે નાઈલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા. મુકેશભાઈએ લગ્નની વર્ષગાંઠ પર જ આપઘાત કરી લીધો અને આ પહેલાં પાંચ વીડિયો પણ બનાવ્યા.

આ વીડિયોમાં તેમણે પત્ની સાથે વીતાવેલ સમય અને બાળકોની ચિંતા સાથે પરિવારને સંબોધન કરી માફી પણ માગી હતી. એક વીડિયોમાં તેમણે વટવા પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભો કર્યો. મુકેશભાઇની પત્નીને સોસાયટીમાં જ રહેતા મનીષસિંગ ભગાડી ગયો હતો અને ક્યાંક છુપાવી રાખી હતી. તેવું વીડિયોમાં જણાવ્યુ હતુ. ત્યારે આ ઘટના અંગે વટવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી છે.મુકેશભાઇએ જણાવ્યુ કે, તેઓ 10 તારીખે આત્મહત્યા કરશે અને આના માટે પત્ની ઉર્મિલા પ્રિયદર્શી અને મનીષસિંગ જવાબદાર છે.

બંનેના અનૈતિક સંબંધોને કારણે તે કંટાળી આપઘાત કરી રહ્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે, મનીષસિંહ તેમની પત્નીને ભગાડીને લઈ ગયો અને કબૂલતો નથી કે તેને ક્યાં રાખી છે. આ બાબતે તેમણે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી પણ તેમ છતાં સુરેશસાહેબે તે નીચી જાતિનો હોવાથી સાથ ન આપ્યો અને પાંચ લાખ રૂપિયા ખાધા.આગળ મુકેશભાઇએ જણાવ્યુ કે, મારી પત્નીને મારી સમક્ષ પણ હાજર નથી કરી કે તેને હું સમજાવી શકું. તેમના બે દીકરાને કારણે તે અત્યાર સુધી કંઈ ન કરી શક્યા.

તેઓ કહે છે કે, તેઓ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને તે ધારે તો મનીષસિંગને મારી પણ શકે છે પણ તે એવું કરવા માગતા નથી. બે દીકરાની સામે જોઈને જીવવાનો પ્રયત્ન કર્યો પણ પત્નીથી જુદા રહેવાની વેદના સહન ન થતા તેઓ આપઘાત કરી રહ્યા છે અને પત્ની વગર જીવન નકામું છે. તેમણે કહ્યુ કે, બંધારણ અને કાયદામાં ક્યાં એવું લખ્યુ છે કે, સ્ત્રી ગમે તેટલા પુરુષો સાથે સબંધ રાખી શકે. સુરેશ સાહેબ એવું કહે છે કે એ એની મરજીથી ગઈ છે, પણ એની મરજી ક્યાંથી હોય. પતિના હોવા છતાં પત્ની બીજા સાથે ગેરસંબંધ ન રાખી શકે. મૃતકે કહ્યુ હતુ કે, સુરેશસાહેબને કહો કે તેમની પત્ની જો કોઈ સાથે ગેરસબંધ રાખે તો ચલાવી લેજે ભાઈ.

Shah Jina