દુનિયાના સાત અજાયબીઓમાંના એક તાજમહેલમાં બોમ્બની ખબર મળી હતી, પરંતુ આ ખબર ફર્જી નીકળી. જો કે, સૂચના મળ્યા બાદ અંદર હાજર પર્યટકોને બહાર નીકાળી દેવામાં આવ્યા હતા. તેમજ તાજમહેલના દરવાજાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
પોલિસને કોઇ અજ્ઞાત વ્યક્તિએ ફોન પર વિસ્ફોટકની સૂચના આપી હતી. જો કે, તેને હિરાસતમાં લઇ લેવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે, તે યુવક નોકરી ન મળવાને કારણે પરેશાન હતો. જો કે, હવે તાજમહેલને ફરી ખોલી દેવામાં આવ્યો છે.
The hoax caller has been traced. He is being interrogated to find his motive. Initial impression is that he is of unsound mind. Our teams are trying to gather information from him: ADGP, #Agra, Satish Ganesh
— ANI UP (@ANINewsUP) March 4, 2021
પોલિસે જણાવ્યુ, અજ્ઞાત વ્યક્તિ દ્વારા 112 પર તાજમહેલમાં બોમ્બ હોવાની સૂચના અપાઈ હતી. ADG આગ્રા ઝોન રાજીવ કૃષ્ણાએ આ અંગે પુષ્ટિ કરી હતી. સુરક્ષા કારણોસર પર્યટકોનો તાજમહેલમાં પ્રવેશ બંધ કરી દેવાયો હતો. તાજમહેલ સંપૂર્ણ ખાલી કરાવી દેવાયો હતો..
બોમ્બની સૂચના મળતા જ આસપાસના બજારો પણ બંધ કરાવવામાં આવ્યા હતા. બોમ્બ સ્કોવડ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. ગંભીર બાબતને લઇને સેનાને પણ બોલાવવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જો કે, હાલ ઓપરેશન સમાપ્ત થઇ ચૂક્યુ છે.
दिनांक 4.3.21 को मो.न. 8318881301 से सूचना प्राप्त हुई कि ताजमहल के पास बम रखा है, जो कुछ देर बाद ब्लास्ट हो जायेगा। आगरा पुलिस द्वारा त्वरित कार्यवाही करते हुये @cosadar द्वारा मय टीम के साथ ताजमहल परिसर में चैकिंग अभियान चलाकर तलाशी ली जा रही है। #sp_protocol_bite@Uppolice pic.twitter.com/rE2IbJSMYl
— AGRA POLICE (@agrapolice) March 4, 2021
ઉલ્લેખનીય છે કે, હજારોની સંખ્યામાં લોકો તાજમહેલ જોવા આવે છે. માત્ર દેશ જ નહિ પરંતુ વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે.