જાણીતી બેંક ‘આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ’ જલ્દી જ પોતાનો કારોબાર સમેટવા જઈ રહી છે. વાત ફેબ્રુઆરી 2018 ની છે જયારે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકને પેમેન્ટ્સ બૈન્કીંગ પરિચાલનની પરવાનગી ભારતીય રિઝર્વ બેંક(RBI) થી મળી હતી.

ભારતીય રિઝર્વ બેંકે સોમવારના રોજ એક અધિસુચનામાં કહ્યું કે, અમે સલાહ આપીએ છીએ કે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંક લિમિટેડ સ્વેચ્છાથી પોતાનો કારોબાર સમેટવાને લઈને લાંબા સમયથી હાઈ કોર્ટએ 18 ડિસેમ્બર 219 ના રોજ એક આદેશ પાસ કર્યો હતો.”

RBI એ કહ્યું કે બામ્બે હાઇકોર્ટે ડેલૉયટ ટુશ તોમાત્સુ ઇન્ડિયા એલએલપીના સિનિયર ડાયરેક્ટર વિજયકુમાર વી. અય્યરને તેના માટે લીકવીડેટર નિયુક્ત કર્યા છે. આ વર્ષે જુલાઇમાં આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકે ‘અનપેક્ષિત ઘટનાક્રમો’ ને લીધે પોતાનો કારોબાર સમેટવાની ઘોષણા કરી હતી. બેંકે કહ્યું હતું કે તેનો ઇકોનોમિક મૉડલ ‘અવ્યવહાર્ય’ છે.

જો કે તમને જણાવી દઈએ કે તેની પહેલા ચાર પેમેન્ટ્સ બેંક પોતાનો કારોબાર સમેટી ચુકી છે. તેની પહેલા ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનેંસ કંપની અને દિલીપ સાંધવીનું એક કંસોર્શીયમ, આઈડીએફસી બેંક લિમિટેડ અને ટેલી નૉલ ફાઇનૅન્શિયલ સર્વિસીઝ એ પણ પેમેન્ટ્સ બેન્કિંગના ક્ષેત્રથી બહાર થઇ જવાની ઘોષણા કરી હતી.

આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકએ ઓફોશિયલ વેબસાઈટ www.adityabirla.bank પર પોતાનો કારોબાર સમેટવાની જાણકારી આપી હતી. બેંકે ગ્રાહકોને કહ્યું કે અમે તમને ખાતરી આપવા માગીએ છીએ કે બેંકે તમારા ડિપોઝીટ પાછા આપવાની પુરી વ્યવસ્થા કરી લીધી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.