આગળના ઘણા સમયથી ફિલ્મી દુનિયામાંથી એક પછી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં એક અન્ય દુઃખદ સામાચારે ઇન્ડસ્ટ્રીમાં શૌકનું વાતાવરણ ઉભુ કરી દીધું છે. ફિલ્મ, થીએટર અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અભીનેત્રી ભાર્ગવી નારાયણનું આગળના સોમવારે 83 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે, આ સમાચારથી ઇન્ડસ્ટ્રીના લોકોને ખુબ ધક્કો લાગ્યો છે.
કન્નડ ફિલ્મ સાથ જોડાયેલી ભાર્ગવી નારાયણના દીકરા પ્રકાશ બેલાવડીએ જણાવ્યું કે તે આગળના બે વર્ષથી ઉંમરને લગતી બીમારીથી પીડિત હતી અને તેને પૅલ્વિસમાં ફ્રેક્ચર પણ થઇ ગયું હતું. આગળની સાંજે તે પડી ગયા હતા આને થોડા કમજોર પણ દેખાતા હતા અને તેના અમુક સમય પછી તેમણે સોમવારની સાંજે સાત વાગ્યાની આસપાસ છેલ્લા શ્વાસ લીધા હતા.
View this post on Instagram
આ સમાચારથી સામાન્ય જનતાની સાથે સાથે તમામ ઇન્ડસ્ટ્રીના લોકો ભાર્ગવી નારાયણને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઈએ કે ભાર્ગવીના લગ્ન બેલાવડી નંજુદૈયા નારાયણ સાથે થયા હતા, જે એક અભિનેતા અને મેકઅપ આર્ટિસ્ટ પણ હતા. ભાર્ગવીના દીકરા પ્રકાશે જણાવ્યું કે માતાના પાર્થિવ શરીરને તેમની ઇચ્છાનુસાર સેન્ટ જૉન્સ હોસ્પિટલમાં દાન કરવામાં આવશે અને તેની આંખો નેત્રધામ સંસ્થાનમાં દાન કરવામાં આવશે.