પેટમાં દુખાવનું કારણ ગેસ અને અપચો બની શકે છે. એસિડિટીથી રાહત મેળવવાના ઘણા ઉપાય છે. આયુર્વેદ રીતથી પેટના ગેસથી છુટકારો મેળવવો લાભદાયક છે. લોકો સવાલ કરતા હોય છે કે, એસિડિટીથી છુટકારો કેવી રીતે મળેવી શકાય ? જે લોકો અપચા અને ગેસનો જલ્દી ઇલાજ કરાવવા માંગતા હોય છે તે એસીડીટીથી છુટકારો મેળવવાનો ઉપાય પણ મેળવી લે છે. એસીડીટી થવાથી પેટમાં થતું દર્દ ક્યારેક કમર દર્દનું કારણ પણ બની શકે છે. આ સાથે જ ગેસ કયારેક એટલો પરેશાન કરી દે છે કે તે હાર્ટ સુધી પહોંચી જાય છે. આ સમયે તમારે એસીડીટીથી છુટકારો મેળવવા માટે આ ઉપાય જરૂર કરવો જોઈએ.

ઘણા લોકો એસીડીટી માટે ઘરેલુ ઉપાય કરતા હોય છે અને તે અસરકારક સાબિત થાય છે. આપણા રસોડામાં એવી ઘણી વસ્તુ હોય છે જે પેટની સમસ્યા દુર કરવામાં મદદગાર થઇ શકે છે. પેટનો ગેસ પણ કબજીયાતનું કારણ બની શકે છે. આ બાદ થાય છે અપચાની સમસ્યા અને માણસની ડાયજેશન સિસ્ટમ બગડી જાય છે. અપચાથી છુટકારો મેળવવા માટે આ ઉપાય કરવો જોઈએ.
1.હળદર

હળદરનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે જ નથી થતો પરંતુ સેવન કરવાથી પણ ઘણા ફાયદા છે. હળદરનું સેવન સાચી રીતે કરવામાં આવે તો પેટના ગેસને પણ દૂર કરી શકાય છે. પેટ ગેસ માટે હળદર ઘણી ફાયદાકારક છે. હળદરને પાણીમાં મિક્સ કરો અને બાદમાં દહીંનું સેવન કરો. હળદરમાં ઘણા એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે જે પેટ દર્દમાં રાહત આપે છે.
2.હિંગ

આયુર્વેદમાં હિંગને ઘણી સમસ્યા દૂર કરવા માટે દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. હિંગનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. એસીડીટીથી છુટકારો મેળવવા માટે હિંગને લાભકારી માનવામાં આવે છે. હિંગ જમવામાં સ્વાદને વધારવાનું કામ પણ કરે છે. હિંગ ખાવાના ઘણા ફાયદા છે. પેટ ગેસથી જલ્દી આરામ મેળવવા માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં હિંગ નાખીને પીવાથી ગેસની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
3.લીંબુ અને બેકિંગ સોડા

પેટના ગેસને નજર અંદાજ ના કરો. જો તમારી પાસે લીંબુ અને બેકિંગ સોડા હોય તો આસાનીથી પેટના ગેસને દૂર કરી શકો છો. બેકિંગ સોડા અને લીંબુનો રસ એક સાથે મિક્સ કરીને પીવાથી એસીડીટીની સમસ્યાનું જલ્દી પરિણામ મળી શકે છે. આ ઉપાય તમે ખાલી પેટે પણ કરી શકો છો. એક ચમચી લીંબુનો રસ બેકિંગ સોડામાં મેળવી દો. જો તમારે ગેસના કારણે પેટમાં દર્દની સમસ્યા હોય તો તે પણ કારગર નીવડી શકે છે.
4.મરી પાવડર

મરી પાવડરથી પણ ગેસથી છુટકારો મળી શકે છે. ગેસ માટે મરી પાવડરનું સેવન ઘણું લાભકારી છે. પેટમાં ગેસ થવાથી દૂધમાં કાળા મરીનો પાવડર ભેળવીને પીવાથી જલ્દી લાભ થઇ શકે છે. મરીના પાવડરનું સેવન વધુ માત્રામાં ના કરવું જોઈએ. આ ઉપાય ગેસને દૂર કરવાની સાથે-સાથે પેટની ગંદકીને પણ દૂર કરવામાં લાભદાયક છે.
5.ફુદીનો

ઠંડક આપનારો આ છોડ પેટના સ્વસ્થ્ય માટે પણ ઘણો ફાયદેમંદ છે. ગેસથી છુટકારો મેળવવા માટે ફુદીનાનો રસ રામબાણ ઈલાજ છે. એક ગ્લાસમાં અડધી ચમચી ફુદીનાનો રસ ઉમેરીને પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.