ભરૂચ : ખાનગી બસ અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બસ પલટી મારી જતા મુસાફરો અંદર જ ફસાઇ ગયા…

ST બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત:અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર લકઝરી બસ પલટી જતા મુસાફરોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા, 16 લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના મામલા સામેે આવે છે, ત્યારે હાલમાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર પર એસ.ટી. બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ પલટી જવાને કારણે 16 મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ખાનગી બસ પલટી જવાને કારણે મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આ અકસ્માતની ઘટના બની હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતને પગલે લક્ઝરી બસ પલટી ગઈ અને એસટી બસ માર્ગની બાજુમાં ઉતરી ગઈ. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો ફસાઈ ગયા હતા અને આસપાસના સ્થાનિકો તેમની મદદ માટે દોડી આવ્યા હતા. બંને બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી, અને આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ.

Shah Jina