ધનની પ્રાપ્તિ માટે આપણે અથાગ મહેનત તેમજ પરિશ્રમ કરતા હોઈએ છીએ છતાં પણ ધન બચતું નથી. કેટલીકવાર પૈસાની સારી આવક આવતી હોવા છતાં પણ હાથ ઉપર કઈ રહેતું નથી, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આટલી મહેનત છતાં કેમ ધન બચતું નથી ? ખરું ને ? તો ચાલો તમારા આ પ્રશ્નનું આજે નિરાકરણ લાવીએ.

જો તમે આ સાત વસ્તુઓ ઘરમાં રાખશો તો તમારા ઘરમાં ધનની અછત પણ નહીં થાય અને પરિવાર પણ સુખી સમૃદ્ધ રહેશે.

- પીળા રંગની કોડી મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો પાંચ કોડીને લાલ કપડામાં બાંધી ઘરની તિજોરીની અંદર મુકવામાં આવે તો ઘરની અંદર ધનની ક્યારેય અછત રહેતી નથી.
- જે ઘરમાં નાની નાની વાતોમાં પણ ઝઘડા શરૂ થઈ જતા હોય અને હંમેશા ઝઘડાનું જ વાતવરણ રહેતું હોય એ ઘરમાં જો રામાયણને પૂજા ઘરમાં રાખવામાં આવે તો આ ઝઘડા શાંત થઈ શકે છે તેમજ પરિવારમાં શાંતિનું વાતાવરણ પણ બની શકે છે.
- ઘરની પૂર્વ દિશામાં જો સૂર્યયંત્ર રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ પરિવારના સભ્યોની વ્યવસાય કે નોકરીમાં સારી વૃદ્ધિ પણ થાય છે.
- વાંસળી કૃષ્ણ ભગવાનને અતિપ્રિય હતી. પરંતુ જો વાંસળીને તમારા ઘરની અંદર રાખવામાં આવે તો પરિવારમાં પ્રેમ ભાવના વધે છે. તેમજ પરિવારના આંતરિક સંબંધો પણ મજબૂત થાય છે.
- જે લોકો પોતાના વ્યવસાયમાં વૃદ્ધિ ઈચ્છે છે એવા લોકોએ પોતાના ધંધાની જગ્યા ઉપર કાચબો, ડ્રેગન જેવી ફેંગશુઈ વસ્તુઓ રાખવી જોઈએ તેના કારણ તેમના ધધામાં સારી વૃદ્ધિ થી શકે છે.
- ઘરના ઈશાન ખૂણામાં એક કળશ પાણી ભરીને રાખી મુકવાથી પણ ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ મા લક્ષ્મીનો પણ વાસ થાય છે.
- ઘરના પ્રવેશદ્વાર પર ગણેશજી બેઠા હોય એવી મૂર્તિ મુકવી પણ ફાયદાકારક બની શકે છે જેના કારણે ઘરમાં ખુશીઓ તેમજ સમૃદ્ધિ આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.