મમ્મી, ‘હું ગણપતી જોવા જાઉં છું’ એવું બોલીને દીકરો નીકળ્યો અને 10 મિનીટમાં જ દીકરાની લાશ મળી, માતાની હાલત જોઈ રડી પડશો..!

દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધુમથી ઉજવવામાં આવે છે, એવામાં ગત દિસવોમાં ગણેશજીનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું ભટુ અને અને ભારે હૃદયે વિસર્જન કરીને બાપાને વિદાઈ આપવામાં આવી હતી. આ તહેવાર દેશ વાસીઓ હોંશે હોંશે ઉજવે છે, જો કે ભોપાલના નહેરુ નગરમાં રહેનારા એક પરિવાર માટે તહેવારની ખુશી માતમમાં બદલાઈ ગઈ હતી.

ગત મંગળવારે અહીંની રહેનારી ઉષા ગજવાનીનો દીકરો મોહિતની ગણેશ પંડાલમાં જવાના સમયે કરંટ લાગવાથી મોત થઇ હતી, જેને લીધે પરિવાર પર દુઃખનું માતમ છવાઈ ગયું છે.7 વર્ષના મોહિતને પાર્કના મેન ગેટ પર વીજળીના થાંભલામાં કરંટ લાગ્યો હતો, જેનાથી  અરથિન્ગ તારમાં પણ કરંટ ફેલાઈ ગયો હતો.જેવો જ તેણે તેને અરથિન્ગને હાથ લગાડ્યો, કે તેને ઝટકો લાગ્યો અને તેની મોત થઇ ગઈ હતી.એવામાં વીજળી કંપનીની લાપરવાહી જણાવીને આસપાસના વિસ્તારમાં હલ્લો મચી ગયો હતો.

મોહિતના શવને બુધવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પિતા સુનિલ અને માની રોઈ રોઈને ખરાબ હાલત થઇ ચુકી છે, મોહિત તેના માતા પિતાનો એક માત્ર સંતાન હતો.મોહિત મા ને એવું કહીને નીકળ્યો કે તે ગણેશ પંડાલમાં પૂજા માટે જઈ રહ્યો છે અને થોડા સમય બાદ તે ઘરે ન આવ્યો ત્યારબાદ તપાસ કરતા વીજળીના થાંભલાના સ્ટે વાયર સાથે ચિપકેલુ તેનું શરીર મળ્યું હતું.

મોહિતના મામાએ વીજળી વિભાગ પર આરોપ લગાવ્યતા કહ્યું કે આ થાંભલામાં ગત ઘણા દિવસોથી કરંટ લાગી રહ્યો છે, છતાં પણ તેને કંપનીએ ઠીક નથી કર્યું. તેના પહેલા પણ ઘણા લોકોને આ સ્ટે વાયર સાથે કરંટ લાગી ચુક્યો છે, અને ઘણાનો જીવ પણ ગયો છે.મામાનું કહેવું છે કે વીજળી વિભાગના બેદરકાર કર્મચારીઓ પર હત્યાનો કેસ દર્જ થવો જોઈએ.

મોહિત માત્ર પહેલા ધોરણમાં ભણતો હતો. કોની પણ રડી રડીને ખરાબ હાલત થઇ ચુકી હતી. મોહિતની મા વારંવાર કહી રહી હતી કે હું મારા દીકરાને જવા જ ને દેતી. તેને ખીજાઈ હોત, તો તે માની ગયો હોત.. ઉઠ મારા લાલ…હું જીવીને શું કરીશ…તારા માટે ઘણા બધા રમકડાં લઈને આવી છું, હવે તેનું હું શું કરીશ. એવામાં પોસ્ટરમોર્ટમ બાદ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

Krishna Patel