મે મહિનો જ્યોતિષીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ મહિનામાં 6 ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. મહિનાની પ્રથમ સપ્તાહમાં બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે. ગુરુ વૃષભ રાશિમાંથી નીકળીને 14 મે ના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો મેષથી વૃષભ રાશિમાં ગોચર 15 મે ના દિવસે થશે. 18 મે ના રોજ રાહુ મીનથી કુંભમાં અને કેતુ કન્યાથી સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યારે મહિનાના અંતમાં શુક્રનો ગોચર મેષ રાશિમાં થશે. ગ્રહોની સ્થિતિમાં આ ફેરફાર 3 રાશિઓની પગલે પગલે પરીક્ષા લઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
મિથુન રાશિ
મે મહિનો કારકિર્દી ની દૃષ્ટિએ અત્યંત પડકારજનક રહી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી યોગ્યતાની કડક પરીક્ષા થશે. તમારા નાના-નાના કામ પર પણ સીનિયર્સની નજર હોઈ શકે છે તેથી સાવચેત રહો. જરૂરિયાત કરતાં વધારે કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી બચો. લોકો વચ્ચે વધુ પડતી દલીલો કરવાથી તમારી છબી ખરડાઈ શકે છે. નાણાંની ખોટને કારણે તમે માનસિક તણાવમાં આવી શકો છો, આ સમયગાળા દરમિયાન નાણાકીય સલાહ લેવી તમારા માટે યોગ્ય રહેશે. મે મહિનામાં યોગ્ય બજેટ બનાવીને આગળ વધવું જ તમારા માટે સાચું સાબિત થઈ શકે છે. ઉપાય તરીકે લીલા વસ્ત્રોનું દાન કરો.
તુલા રાશિ
પારિવારિક જીવનમાં પ્રતિકૂળ સ્થિતિ બની શકે છે. પૈસા સંબંધિત કોઈ મુદ્દાને લઈને ઘરના સભ્યો સાથે મનદુઃખ થવાની શક્યતા છે. મે મહિનામાં કાર્યક્ષેત્રમાં કામનો દબાવ પણ તમારા પર ખૂબ વધારે રહી શકે છે, જેના કારણે જીવનના અન્ય પાસાઓ પર ઓછું ધ્યાન આપી શકશો. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને ભારે પડશે. આ રાશિના જે લોકો એક સંબંધમાં હોવા છતાં પણ અન્ય કોઈની સાથે સંપર્કમાં છે તો તેમનું સત્ય બહાર આવવાથી કજિયો થઈ શકે છે. વિદ્યાર્થીઓની એકાગ્રતાનું સ્તર ઓછું રહેશે જેથી શિક્ષણ ક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે.
મીન રાશિ
કોઈપણ કામને આવતીકાલ પર ટાળવું આ મહિનામાં તમને ભારે પડશે, આમ કરવાથી મુશ્કેલીઓમાં પડી શકો છો. વધારે વિચારવાને બદલે આ મહિનામાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ધૈર્યની આ મહિનામાં પરીક્ષા થશે, અનેક એવી પરિસ્થિતિઓ આ મહિનામાં ઉત્પન્ન થશે જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે. લગ્ન જીવનની ગાડી ચડાવ-ઉતાર સાથે આગળ વધશે. કેટલાક લોકો સટ્ટાબાજી કે રોકાણના ચક્કરમાં પડીને પૈસા ગુમાવી શકે છે. હાડકાં અને શ્વાસ સંબંધિત તકલીફો તમને થઈ શકે છે, સાવધાન રહો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)