શરીરમાં થતી સામાન્ય તકલીફો પણ ઘણીવાર એટલી મોટી મુસીબતોમાં મૂકી દેતી હોય છે કે આપણે એ તકલીફ સહન પણ નથી કરી શકતા, ક્યારેય સમસ્યા એવા સમયે પણ થાય છે કે એનો ઈલાજ પણ તરત મળવો મુશ્કેલ છે ત્યારે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓ આવી નાની તકલીફોમાંથી તમને તરત આરામ આપી દે છે.

તો ચાલો આજે એવી ઘરેલુ પાંચ વસ્તુઓ તમને જણાવીએ જે તમને આવી તકલીફોમાંથી રાહત આપશે.

- પેટની બળતરા માટે એપલ વિનેગર છે કારગર:
તીખું અથવા મસાલાવાળું ખાવાના કારણે ઘણીવાર પેટમાં બળતરા થવાની સમસ્યા થતી હોય છે અને આ સમસ્યા મોટાભાગે રાત્રીના સમયે જ થાય છે ત્યારે આપણને ઊંઘ પણ નથી આવતી પરંતુ ઘરની અંદર રસોડામાં હમેશા એપલ સાઇડર વિનેગર રાખવું. એક ચમચી એપલ સાઇડર વિનેગરને એક કપ પાણી સાથે જમતા પહેલા લઇ લેવું તો આ સમસ્યામાં તમને સારી એવી રાહત મળશે. - કાનમાં થતા દુઃખાવા માટે લસણ છે ફાયદાકારક:
જો તમને કાનમાં દુઃખાવાની તકલીફ રહેતી હોય તો લસણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, લસણના તેલને થોડું ગરમ કરી એક ટીપું કાનમાં 5 દિવસ સુધી નાખતા રહો તમારા કાન દુખવાની સમસ્યા સાથે કાનમાં થયેલું ઇન્ફેક્શન પણ દૂર થઇ જશે. લસણનું તેલ બનાવવા માટે લસણની ત્રણ કળીઓને લઈને તેને બરાબર પીસી નાખવી પછી ધીમા તાપ ઉપર ચઢવા દેવી, ત્યારબાદ તેમાં થોડું ઓલિવ ઓઇલ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું અને પછી તેને ગાળી લઈને ફ્રિજમાં મૂકી દો. તકલીફ થતા જ તેને ગરમ કરીને કાનમાં નાખતા રહો. સમસ્યા દૂર. - દાંતના દુઃખાવા માટે લવિંગ છે સૌથી શ્રેષ્ઠ:
દાંતમાં થતો દુઃખાવા ખરેખર અસહ્ય હોય છે, તે પીડા એવી હોય છે કે તમને પલવારનું પણ ચેન પડવા ના દે પરંતુ આ દુખાવો થાય ત્યારેજે જગ્યાએ દુખતું હોય ત્યાં લવિંગને દબાવી દો થોડી જ વારમાં તમને સારી રાહત મળી જશે તેમજ સોજો પણ ઓછો થઇ જશે, કારણ કે લવિંગની અંદર એક એવું તત્વ રહેલું છે જેને યુઝનોલ કહે છે તે આયુર્વેદિક રીતે આ તકલીફમાં રાહત આપે છે. - પગના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે ટામેટાનો રસ:
વધારે ચાલવાથી કે વધારે કસરત કરવાથી ઘણીવાર પગની અંદર દુઃખાવા થઇ જતો હોય છે, આ દુઃખાવો થવા પાછળનું મુખ્ય કારણે છે શરીરમાં પોટેશિયમની ઉણપ, પરંતુ ટામેટામાં પોટેશિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત રહેલો છે જો તમે દિવસ દરમિયાન બે ગ્લાસ જેટલો ટામેટાનો રસ પીવો છો તો તમને આ સમસ્યામાં રાહત મળશે. - મોઢામાં પડેલા છાલા દૂર કરવા માટે છે મધ ફાયદાકારક:
મોઢામાં પડેલા છાલાને દૂર કરવા માટે મધ ખુબ જ ફાયદાકારક છે, જે જગ્યાએ છાલા પડ્યા હોય એ જગ્યા ઉપર મધ લગાવી લેવું, થોડા જ સમયમાં તેનાથી રાહત મળી જશે, કારણ કે મધ ખુબ જ ઠંડુ હોય છે સાથે છાલા દૂર કરવામાં પણ ફાયદાકારક છે બસ એકવાતનું ધ્યાન રાખવું કે એ સમય તીખું અને મસાલેદાર ખાવાનું ના ખાવું જોઈએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.