મમ્મી, ‘હું ગણપતી વિસર્જન કરવા જાઉં છું’ અને જુવાન જોધ 1 નહિ, 2 નહિ આટલા દીકરાની લાશ મળતા માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, કાળજું ફાડી નાખે એવો બનાવ..!

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સા સામે આવતા રહે છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ ઘરોના દીવા ઓલવાઈ ગયા. બનાસ નદીના ઘાટ પર ગણેશજીના વિસર્જન કરવા ગયેલા બે યુવકો અને એક કિશોર ઊંડા પાણીમાં ડૂબી ગયા. ત્રણેય ડૂબી ગયા બાદ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો. એક પછી એક ત્રણેયને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ત્રણેય રાજસમંદરના હાઉસિંગ બોર્ડ કોલોનીના રહેવાસી હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રવિવારે બનાસ નદીના કિનારે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે સવારથી જ ભીડ હતી. ગણપતિ બાપ્પા મોરિયાના નારા લાગી રહ્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ મોડી સાંજે નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. લોકો ચુપચાપ વિસર્જન કરવા લાગ્યા. તેમના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. કારણ કે અહીં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. વિસર્જન દરમિયાન હાઉસિંગ બોર્ડ કોલોનીના ચિન્ટુ, જતીન અને વિકાસ બનાસ નદીના કિનારેથી થોડે આગળ ગયા હતા.

ત્રણેયને ઊંડાણનો ખ્યાલ નહોતો. પાણી ઊંડું થતાં તેઓ ડૂબવા લાગ્યા. તેઓએ મદદ માટે બૂમો પાડી પરંતુ શોરને કારણે કોઈએ તેમનો અવાજ સાંભળ્યો નહીં. જ્યારે લોકોએ તેમને ડૂબતો જોયા ત્યારે તેઓ દોડ્યા, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. મૃતકોમાં 18 વર્ષીય જતીન ખટીક, 14 વર્ષીય વિકાસ અને 21 વર્ષીય ચિન્ટુનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં કાંકરોલી પોલીસ સ્ટેશનના પ્રભારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહોને પીએમ માટે શબગૃહમાં રાખવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ વખતે પ્રશાસને રાજસમંદ તળાવમાં ગણપતિ વિસર્જન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેલની નજીક એક વિશાળ કુંડ બનાવવામાં આવ્યો હતો અને તેમાં પાણી ભરવામાં આવ્યું હતું, જ્યાં મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી. સુરક્ષા માટે વિવિધ સ્થળોએ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

Shah Jina