આ ગામના લોકોએ તૈયાર કર્યો 2700 કિલોનો રોટલો, ક્રેન પર બાંધીને ભઠ્ઠા પર શેક્યો, 2 મહિનાની મહેનત અને અધધધ લાખનો ખર્ચ કરી દીધો… જુઓ વીડિયો

22 કલાકની મહેનતથી તૈયાર કરવામાં આવ્યો 2700 કિલોનો સૌથી વિશાળ રોટલો, દુનિયાનો સૌથી મોટો રોટલો હોવાનો દાવો, બનાવવા પાછળનું કારણ જાણીને રહી જશો, જુઓ વીડિયો

2700 Kg Rot Prepared In 22 Hours : ઘણા લોકો એવા હોય છે જે કંઈક અલગ અલગ અને અનોખું કરવામાં માનતા હોય છે. જેના દ્વારા તે દુનિયાભરમાં એક અનોખું નામ બનાવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ આવી ઘણી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટના વાયરલ થઇ રહી છે, જેમાં ગામના લોકો દ્વારા 2700 કિલોનો રોટલો બનાવવામાં આવ્યો.

આ ઘટના સામે આવી છે રાજસ્થાનના સીકર જિલ્લાના પ્રસિદ્ધ દેવીપુરા બાલાજી ધામમાંથી. જ્યાં શનિવારે એટલે કે આજે હનુમાનજીને 2700 કિલોના  રોટલાનો એક ભાગ અર્પણ કરવામાં આવશે. આ ખાસ રોટલો શુક્રવારે સવારે પાંચ વાગ્યે બનાવવાનું શરૂ થયું હતું અને શનિવારે રાત્રે ત્રણ વાગ્યા સુધીમાં તૈયાર થઈ ગયો હતો. એટલે કે તેને બનાવવામાં 22 કલાકનો સમય લાગ્યો છે.

આ ખાસ રોટલો વિશેની દરેક વસ્તુ ખૂબ જ ખાસ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુનિયાનો સૌથી મોટો રોટલો છે. તેને બનાવવાની તૈયારીઓ બે મહિના પહેલા શરૂ કરી દેવામાં આવી હતી.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવીપુરા બાલાજી ધામના મહંત ઓમપ્રકાશ શર્માનું કહેવું છે કે આ રોટલો વિશ્વ શાંતિની કામના માટે કરવામાં આવ્યો છે. આજે તે હનુમાનજીને અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે. છેલ્લા બે મહિનાથી ધામમાં આ રોટલો બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.

આ રોટલો બનાવવામાં 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તેનું કુલ વજન 2700 કિગ્રા છે. જેમાં 1125 કિલો લોટ, 125 કિલો સોજી, 1100 કિલો ડ્રાય ફ્રૂટ્સ, 400 લિટર દૂધ અને 400 લિટર ગાયનું દેશી ઘી વપરાયું છે. આ રોટલાની ગોળાકારતા 11 ફૂટ અને જાડાઈ 2 ફૂટ છે. પૂર્ણસર ધામના સંત રામદાસ મહારાજ (બાપજી)ના માર્ગદર્શન હેઠળ સુરત અને પૂર્ણસરના 20 રસોઇયાઓ દ્વારા આ રોટલો તૈયાર કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં 22 કલાકનો સમય લાગ્યો હતો.

2700 કિલોનો રોટલો બનાવવા માટે ખાસ ગ્રિડલ, રોલિંગ પિન અને મિક્સરની જરૂર હતી. આવી સ્થિતિમાં, દેવીપુરા ધામ વતી સીકરના વિશ્વકર્મા એન્જિનિયરિંગ વર્કશોપને ઓર્ડર આપવામાં આવ્યો હતો, જ્યાં આ બધી વસ્તુઓ તૈયાર કરવામાં આવી હતી. રોસ્ટિંગ રોટલા માટે બનાવેલ ગ્રીડલનું વજન 300 કિલો છે અને રોલિંગ પીનનું વજન 250 કિલો છે. તવા, રોલિંગ પીન અને મિક્સર તૈયાર કરવામાં રૂ. 2.15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કારીગરોએ મંદિર પરિસરમાં 12 ફૂટની ગોળાકાર ભઠ્ઠી બનાવીને 2700 કિલોનો રોટલો પકવ્યો હતો. આ ભઠ્ઠી બનાવવામાં 10 દિવસનો સમય લાગ્યો હતો. રોટલાને ક્રેનની મદદથી પકવવા માટે ભઠ્ઠી પર મૂકવામાં આવ્યો હતો. અગાઉ તેને ક્રેન દ્વારા જ મુકવામાં આવતું હતું. આ ખાસ રોટલાને પકવવા માટે ગાયના છાણની 4 ટ્રોલી મંગાવવામાં આવી હતી.

શનિવારે બપોરે બાલાજી મહારાજને 2700 કિલોનો રોટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસાદ 25 હજારથી વધુ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. મહંત ઓમપ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં શાંતિ અને સમૃદ્ધિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાજી મંદિર પરિસરમાં સવારથી જ ભક્તો આવવા લાગ્યા હતા. આ પ્રસાદ 25000 થી વધુ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો.

Niraj Patel
error: Unable To Copy Protected Content!
Exit mobile version