આવો પ્રેમ આજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, પત્નીના મોતના 21 વર્ષ સુધી પત્નીની લાશ સાથે રહ્યો પતિ, વાતો પણ કરતો અને સુઈ પણ જતો, જુઓ વીડિયો

કહેવાય છે કે પ્રેમ જન્મો જન્મનું બંધન હોય છે, અને જો બંનેમાંથી કોઈ એક પાત્રનું નિધન થઇ જાય તો તેના પાર્ટનર માટે જીવવું ખુબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેને સૌના હોશ ઉડાવી દીધા છે. 72 વર્ષનો એક વ્યક્તિ તેની પત્નીના મૃતદેહ સાથે 21 વર્ષ સુધી રહ્યો.

આ વ્યક્તિ તેની પત્નીના મૃતદેહને શબપેટીમાં રાખીને તે પોતાના એક રૂમના મકાનમાં રહેતો હતો. પત્નીના મૃત્યુ પછી પણ તે તેનાથી અલગ થવા માંગતો ન હતો. આવી સ્થિતિમાં તેણે પત્નીની લાશને ઘરમાં જ દફનાવી દીધી. ઘણા યુઝર્સે તેની પત્ની સાથેના તેના જોડાણને ‘અમર પ્રેમ’ ગણાવ્યો છે, જ્યારે કેટલાકે તેને ‘અનંત પ્રેમ કરનાર માણસ’ ગણાવ્યો છે.

તાજેતરમાં, વ્યક્તિએ તેની પત્નીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો છે. રડતા રડતા પતિએ તેની પત્નીને ‘છેલ્લી વિદાય’ આપી હતી જેની ઘણી તસવીરો સામે આવી છે. ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ 72 વર્ષીય વ્યક્તિનું નામ છે ચારન જનવાતકલ અને તે થાઈલેન્ડના બેંગ ખેન જિલ્લાનો રહેવાસી છે.

ચર્ન જે થાઈ આર્મીમાં ડોક્ટર હતો, તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. આવી સ્થિતિમાં, જ્યારે પત્નીનું અવસાન થયું, ત્યારે તેઓએ તેને કબ્રસ્તાનમાં દફનાવવાના બદલે તેને ઘરે જ દફનાવી. પત્નીનું એક રોગથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ચર્નના બે પુત્રો ઘર છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ ચર્નને આ વાતનો વાંધો ન હતો અને મૃતદેહને ઘરમાં જ દાટી દીધો હતો. ક્યારેક તે ડેડ બોડી પાસે જઈને વાત કરતો તો ક્યારેક તેની સાથે સૂઈ જતો.

પરંતુ, 21 વર્ષ પછી ગયા મહિને (29 એપ્રિલ) ચર્ન દ્વારા તેની પત્નીના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે એક સંસ્થાનો સંપર્ક કર્યો. સંસ્થાની મદદથી તેમની પત્નીના મૃતદેહના અવશેષો કોફિનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને કાયદા દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી.

સોમવારે, સ્થાનિક વકીલ નિતિથોર્ન કેવટોએ તેમનો સંપર્ક કર્યો અને તેમની મુલાકાત લીધી. વકીલે જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ શિક્ષિત છે અને તેની પાસે ઘણી ડિગ્રીઓ છે. પરંતુ પત્નીના અવસાન બાદ તેઓ એકદમ સાદું જીવન જીવી રહ્યા છે. તેમના ઘરમાં ન તો લાઈટ છે કે ન તો કોઈ પ્રકારનો પલંગ. જોકે, પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેમને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વકીલે કહ્યું કે વડીલે પત્નીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે કે તેના મૃત્યુ પછી કોઈ તેને યોગ્ય સન્માન નહીં આપે.

Niraj Patel