16 વર્ષની સગીરાએ પિતા આવા ખરાબ કામને કારણે કરી લીધો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ- I Hate My Dad…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ માનસિક ત્રાસને કારણે તો કોઇ પ્રેમ સંબંધને કારણે તો કોઇ શારીરિક હેરાનગતિને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે. પરંતુ શું તમે કયારેય સાંભળ્યુ છે કે કોઇ દીકરીએ તેના પિતાના કારણે આપઘાત કરી લીધો હોય ? હાલ આવો જ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગત રવિવારના રોજ એક 16 વર્ષિય છોકરીએ આપઘાત કરી લીધો. ઘટનાસ્થળેથી કથિત સુસાઇડ નોટ પણ મળી છે.

આ સુસાઇડ નોટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના પિતા દારૂ પી દુર્વ્યવહાર કરતા હતા. જે સગીરાએ આપઘાત કર્યો છે તે ધોરણ-10ની વિદ્યાર્થીની હતી. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાના નંદીગામા અંચલના બુગોનિગુડા ગામમાં ગત રવિવારના રોજ મનીષા નામની 16 વર્ષિય સગીરાએ આપઘાત કરી લીધો. નરસિમ્હુલુ અને લલિાને એક દીકરો અને દીકરી છે. નરસિમ્હુલુ પત્નીના મોત બાદ દારૂનો આધિન થઇ ગયો હતો. તે અવાર નવાર દારૂ પીને આવીને દીકરા-દીકરી સાથે ઝઘડો કરતો હતો. રવિવારે સવારે પણ આવું જ થયુ હતુ.

ત્યારે બપોરે દીકરાને પિતાએ ફોન કરી જણાવ્યુ કે બહેને ઘરમાં ફાસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. જયારે તે ઘરમાં આવ્યો તો મનીષા મૃત હતી અને તેના ગળા પર ઇજાના નિશાન હતા. ત્યાં જ બેડ પર એક પુસ્તક પડેલી હતી જેમાં લખ્યુ હતુ કે, આઇ હેટ માય ડેડ ફોર ટાઇમ્સ. ભાઇએ પોલિસને આ વાતની ફરિયાદ કરી. પોલિસ જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી અને પૂછપરછ શરૂ કરી.મનીષાએ પરીક્ષાના એક દિવસ પહેલા આત્મહત્યા કરી હતી અને તે પહેલા તેણે સુસાઈડ નોટ લખી હતી.

કથિત સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, ‘અમારા પિતા મૂર્ખ છે. તે દરરોજ દારૂ પીને અમને નરક બતાવે છે. અમારી માતા જીવતી હતી ત્યારે તે ખૂબ જ સારા હતા. તેના મૃત્યુ પછી તે દારૂના વ્યસની બની ગયા અને ખરાબ વર્તન કરવા લાગ્યા. હું તેમને બોલાવવા પણ માંગતી નથી. હું ખરેખર તેમને મારવા માંગુ છું અને હું મારી જાતને મારવા માંગુ છું. મેં ત્રણ વાર ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ બચી ગઇ. તે અમને દરરોજ હેરાન કરે છે. થોડા દિવસોમાં બધાને મારા મૃત્યુની ખબર પડી જશે. હું મારા મૃત્યુની રાહ જોઈ રહી છું.

સૌજન્ય : ઇટીવી ભારત

Shah Jina