એકબાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો પરપ્રાંતીય મજૂરો તેના ઘર તરફ જઈ રહ્યા છે. આ વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. મજૂરો ઘરે જવા મૅટ નીકળ્યા હતા પરંન્તુ ભગવાનના ધામમાં પહોંચી ગયા છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 15 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે. મૃતકોમાં મજૂરોના બાળકો પણ સામેલ છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના શુક્રવારે સવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.
An accident happened near Karmad, Aurangabad when an empty rake of goods wagon ran over some people. RPF and local police are reaching spot to asses the situation. More details awaited: Chief Public Relations Officer (CPRO) of South Central Railway (SCR) #Maharashtra pic.twitter.com/uAqWn1HsQI
— ANI (@ANI) May 8, 2020
કરમાડ પોલીસે જણાવ્યું કે, મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. સાથે જ તેમને ટ્રેન પકડી હતી. તેમને મધ્યપ્રદેશ જવાના હતા. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા. થાકી ગયા હોય પાટા પર જ સુઈ ગયા હતા. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે ટ્રેનના સંકજામાં આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મજૂરો એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા.
A freight train ran over 15 migrant labourers between Jalna and Aurangabad of Nanded Divison of South Central Railway (SCR): Railway official #Maharashtra https://t.co/0sxdrbhCJs pic.twitter.com/aCF3mXVEI6
— ANI (@ANI) May 8, 2020
ટના બાદ ટ્રેક પર મજૂરોના શબોની સાથે રોટલીઓ વેરવિખેર હાલતમાં પડેલી જોવા હતી. મજૂરોએ ખાવા માટે આ રોટલીઓ પોતાની પાસે રાખી હતી.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..
Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.
— Narendra Modi (@narendramodi) May 8, 2020