દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે મોટો ઓફિસર બને. આજે ઘણા યુવાનો યુપીએસસીની તૈયારી કરતા હોય છે અને તેના માટે તે દિવસ રાત એક કરી દેતા હોય છે, લાખોમાંથી ભાગ્યે જ કેટલાક એવા લોકો હોય છે જે યુપીએસસી ક્લિયર કરીને આઇપીએસ કે આઈએએસ બનતા હોય છે, પરંતુ શું તમે કોઈ 12 વર્ષના બાળકને ADGની ખુરશી ઉપર બેઠેલો જોયો છે ? હાલ એવા જ એક બાળકની તસવીરો વાયરલ થઇ રહી છે, જેની કહાનીએ કેટલાય લોકોની આંખોમાં આંસુઓ પણ લાવી દીધા છે.
એક હૃદયસ્પર્શી ઘટનામાં પ્રયાગરાજ પોલીસે 12 વર્ષના કેન્સરના દર્દીને એક દિવસ માટે જિલ્લાના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) બનાવ્યા. એડીજી (પ્રયાગરાજ ઝોન) પ્રેમ પ્રકાશે કહ્યું કે કેન્સરથી પીડિત હર્ષ દુબેનું મનોબળ વધારવા માટે આવું કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી છોકરાને બોડી કીટ પણ આપવામાં આવી હતી.
એડીજીની ખુરશી પર બેઠેલા 12 વર્ષના બાળકે પોલીસની કામગીરી અંગે પ્રશ્નો પૂછ્યા અને દસ્તાવેજો પણ તપાસ્યા. ફરજ પરના પોલીસ અધિકારીઓએ પણ તેમને સલામી આપી હતી. ટોચના પોલીસ અધિકારીઓએ નાના એડીજી સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. હર્ષના પિતા સંજય દુબે ઈ-રિક્ષા ડ્રાઈવર છે. જ્યારે તેણે જોયું કે તેનો પુત્ર એડીજીની ખુરશી પર બેઠો છે, ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો.
આ અંગે એડીજી પ્રેમ પ્રકાશે જણાવ્યું હતું કે જ્યારે મને શહેરમાં કેન્સરના દર્દીઓની મદદ કરતા સામાજિક કાર્યકરો દ્વારા કેન્સરથી પીડિત 12 વર્ષના છોકરાની દુર્દશા વિશે જાણ થઈ ત્યારે મેં સગીરનું મનોબળ વધારવા માટે પગલાં લેવાનું નક્કી કર્યું. હર્ષે તેમની ઓફિસમાં ADG રેન્કના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી કરી હતી.
તેમના પિતાએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તેમના પુત્રની સારવાર કરી રહેલા ડોકટરોની ટીમ અને સામાજિક કાર્યકર પંકજ રિઝવાણીનો તેમના પુત્રને હકારાત્મક વાઇબ્સ અને ઝડપી સ્વસ્થ થવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો બદલ આભાર માન્યો હતો. ડોકટરોની ટીમે પણ બાળકને સંપૂર્ણ તબીબી સહાયની ખાતરી આપી હતી.
12 साल के कैंसर पेशेंट हर्ष दुबे का उत्साह वर्धन के लिए @PremPrakashIPS के द्वारा बाड़ी किट देने के साथ ही एक दिन का एडीजी ज़ोन प्रयागराज बनाकर व बच्चे का मनोबल बढ़ाया गया। #UPCM #UPPolice pic.twitter.com/cRqZtT705I
— ADG zone Prayagraj (@ADGZonPrayagraj) July 3, 2022
કમલા નેહરુ હોસ્પિટલના વરિષ્ઠ ઓન્કોલોજિસ્ટ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા બી પોલે, જેઓ છોકરાની સારવાર પણ કરી રહ્યા છે, તેમને જણાવ્યું હતું કે કેન્સરના દર્દીઓએ ધીરજ અને હિંમત રાખવી જોઈએ. કેન્સરને અસાધ્ય રોગ કહેવાય છે, પરંતુ જો દર્દીને યોગ્ય સમયે યોગ્ય સારવાર આપવામાં આવે તો તે મટી શકે છે.