દિલથી અને આસ્થાથી માગણી કરેલ દરેક વસ્તુ પૂર્ણ થઇ જાય છે. આસ્થાના પ્રતીક એટલે સ્વામિનારાયણ મંદિર – વાંચો ઈતિહાસ ક્લિક કરીને

કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી આપણને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કર્યા હોય તેવું લાગે છે. અત્યારે મૂર્તિમાં પણ ભગવાનનો રદય ધબકતું હોય તેવુ દેખાય છે. મૂર્તિનું સૌંદર્ય જોઇને કોઇ માણસ ત્યાંથી ખસવાનું પસંદ નથી કરતો. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ખૂબ જ અપરંપાર છે. અહીં નોમ પૂનમ અને અગિયારસનો ખૂબ જ મહિમા છે. નોમ પૂનમ અને અગિયારસ ભરવાથી દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

દિલથી અને આસ્થાથી માગણી કરેલ દરેક વસ્તુ પૂર્ણ થઇ જાય છે. આસ્થાના પ્રતીક એટલે સ્વામિનારાયણ મંદિર. ભક્તો કઈ અને કંઈક થી પોતાની મુરાદો લઈને સ્વામિનારાયણ મંદિરના ધામમાં આવે છે અને તેમનીે દરેક મુરાદો પૂરી થાય છે. ખૂબ ઓછા લોકો જાણતા સ્વામિનારાયણ મંદિર વડતાલ વિશે . આ મંદિર ખુબ સ્વામિનારાયણ ભગવાને પોતાના માથા પર ઈંટો મુકીને બનાવ્યું હતું.વડતાલનું નગર વડતાલ સ્વામિનારાયણ તરીકે પણ ઓળખાય છે. અહીંનું મંદિર કમળના આકારમાં છે, આંતરિક મંદિરમાં નવ ગુંબજો છે.

વડતાલ મંદિરના નિર્માણની યોજના અને નિરીક્ષણ માટે સંતોની ટીમ સાથે આગળ વધવું. આ મંદિરનું નિર્માણ 15 મહિનાની અંદર પૂર્ણ થયું હતું અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ સ્વામીનારાયણ દ્વારા તેમની સ્થાપના નવેમ્બર 1824 ના રોજ કરવામાં આવી હતી, જેમાં સ્થાપના સમારંભના વેદિચિત્રો અને ભક્તિમય ભારોભાર વચ્ચેની સભાઓ છે. મંદિરના મધ્ય ભાગમાં, તેમણે શ્રી ની મૂર્તિઓ સ્થાપિત કરી. લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી રણછોડજી જમણી બાજુ, ત્યાં શ્રીઓની મૂર્તિઓ છે. ધર્મદેવ અને શ્રી ભક્તિતા અને શ્રી વાસુદેવ અને ડાબી બાજુ, સ્વામિનારાયણ શ્રીની મૂર્તિઓ સ્થાપિત કરી. રાધા કૃષ્ણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ

વડતાલ ધામમાં એક joban pagi નામનો રાક્ષસ રહેતો હતો. તેનો એક જ કામ લોટ ફાટ કરવી ચોરી કરવી લોકોને હેરાન-પરેશાન કર્યા. લોકો તેનાથી કંટાળી ગયા હતા.એક વખત joban pagi નામના રાક્ષસના કાને એક વાત પડી. અહિ સ્વામિનારાયણ ભગવાન પાસે સુંદર મજાની માણકી ઘોડી છે. આ વખતે તેણે વિચાર્યું કે હું આ વખતે માણકી ઘોડી ની ચોરી કરુ.

એક વખત તેને માણકી ઘોડી ચોરીને તેના ડેલામાં બાંધી. સવારે ઉઠીને જોવે છે તો તેને જ ચારેય દિશામાં માણકી ઘોડી દેખાય છે. તે તરત જ સમજી ગયો કે આ ભગવાનનો ચમત્કાર છે. તે માર્ગે ગોળી લઈને સ્વામિનારાયણ ભગવાનના ચરણે ગયો. અને તેને માફી માગી તેને પાધળી સ્વામિનારાયણ ભગવાનના ચરણે મૂકી દીધી. વખતે joban pagi નામનો રાક્ષસ માંથી joban pagi નામનો ભક્ત બની ગયો. તેને પોતાનું આખું જીવન સ્વામિનારાયણ ભગવાનના સેવામાં વ્યક્ત કર્યુ.આવું કેટલાક ચમત્કાર ભક્તોને થાય છે અને ભગવાન ની આસ્થા વધતી જાય છે.
જય શ્રી સ્વામિનારાયણ, લેખક – નિરાલી હર્ષિત

YC