બે દિવસ પહેલા સોમવારે એક ટીચર અને તેનાં પરિવારે પોતાના ત્રણ અન્ય સદસ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી.
એક ટીચર અને તેના પરિવાર નાં ત્રણ અન્ય સદસ્યો દ્વારા ઝેર ખાઈને સામુહિક આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મૃતકના પડોસીઓનાં અનુસાર આ પરિવારની કુવારી દીકરી કોમલ શર્માએ કરવા ચોથ રાખ્યું હતું. તેના બીજાજ દિવસે આ ઘટના બની હતી. આ ઘટના પછી કોમલ લાપતા થઈ છે. શું છે પૂરી હકીકત?
શહેરનાં ખેમપુરા ઇલાકામાં રહેનારી ટીચર વિનોદ શર્મા, પત્ની કલ્પના, પુત્ર નીખીલ અને નાની પુત્રી અંજુ એ સોમવાર ના દિવસે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. ઘટના નાં દિવસે ઘરની જ દીકરી કોમલ ગાયબ થઈ ગઈ હતી. પોલીસ હજી પણ કોમલ ની શોધ-ખોળ કરી રહી છે.
પુરા ઈલાકાની મહિલાઓએ વિનોદ શર્માનાં ઘરે કરવાચોથ ની ઉજવણી કરી હતી. તે જ દરમિયાન જાણવામાં આવ્યું હતું કે કોમલે પણ વ્રત રાખ્યું હતું. મહિલાઓએ તેમનું કારણ પૂછ્યું પણ હતું, પણ કોમલે કાઈ પણ જવાબ આપ્યો ન હતો.
વિનોદ તેમની મોટી પુત્રી કોમલ નાં લગ્ન ની તયારી કરી રહ્યા હતા. હાલમાંજ વિનોદે કોમલ માટે છોકરાઓ પણ જોયા હતા. પણ કોમલ ની વ્રત વાળી વાતને લઈને પૂરું પરિવાર ચિંતા અને પરેશાનીમાં હતું. અને તેના પછીના દિવસે જ આ ઘટના સામે આવી હતી.
આ લખ્યું હતું સ્યુસાઈડ નોટમાં:
ઝેર પીધા પહેલા વિનોદે એક સ્યુસાઈડ નોટ પણ છોડી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે આ નિર્ણય અમે ઈચ્છાથીજ લઇ રહ્યા છીએ. તેની પાછળ કોઈનો પણ હાથ નથી. મર્યા પછી મારી પૂરી સંપતી મારા નાના ભાઈ પુરુષોતમ ના નામે કરી દેવામાં આવશે.
મૃતક ની મોટી પુત્રી કોમલ. જે ઘટના પછીજ લપાતા થઈ છે.
કોમલ પોતાના ભાઈ નીખીલ સાથે. નીખીલે પણ સ્યુસાઈડ કરી લીધું હતું.
કોમલ.
કોમલ અને ભાઈ નીખીલ.
મૃતક વિનોદ ના ઘરે મળેલો મોબાઈલ.
કોમલનો ભાઈ નીખીલ જેમણે સ્યુસાઈડ કર્યું.
મૃતક નીખીલ.
વિનોદ અને તેની પત્ની.
મૃતક વિનોદ, પત્ની અને બાળકોની સાથે.
Story Author: GujjuRocks Team
